Sustain Humanity


Monday, July 13, 2015

આસારામ કેસના મુખ્ય સાક્ષી પર શાહજહાંપુરમાં ગોળીબાર

 આસારામ કેસના મુખ્ય સાક્ષી પર શાહજહાંપુરમાં ગોળીબાર
શાહજહાંપુર (ઉ.પ્ર.) � આધ્યાત્મિક ગુરુ આસારામ બાપુ સામે જાતીય સતામણીના કરાયેલા કેસના મુખ્ય સાક્ષી પર અહીં અજાણ્યા ઈસમોએ ગોળીબાર કર્યો છે. તેને તાબડતોબ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આસારામ સામેના કેસમાં એક સાક્ષીએ ગયા બુધવારે જોધપુરની કોર્ટમાં જુબાનીમાં ફેરવી તોળ્યા બાદ આ હુમલો કરાયો છે. તપાસનીશ અધિકારીઓએ હાલને તબક્કે વધુ કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો છે. પોતાના એક આશ્રમમાં સગીર વયની એક બાળા પર કથિતપણે બળાત્કાર કરવા બદલ આસારામ બાપુની ૨૦૧૩ના સપ્ટેંબરમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જોધપુરની સેન્ટ્રલ જેલમાં પૂરવામાં આવ્યા છે. આ કેસમાં ૫૮ સાક્ષીદાર છે, જેમાંના ૪૨ના મહત્વના ગણાય છે.

No comments:

Post a Comment